Late, lethargic and unaccountable actions of Sardar Sarovar Project (SSP) Dam operators have once again contributed to huge and largely avoidable downstream floods in Gujarat. The water level at Golden Bridge in Bharuch is approaching HFL (Highest Flood Level) today on Sept 17, 2023, but these floods could have been significantly lower and much less disastrous both for SSP upstream and downstream areas if SSP authorities had taken action earlier based on actionable information available and based on sound reservoir operation principles of following a rule curve.
Continue reading “Unaccountable Sardar Sarovar operators again bring avoidable floods in downstream Gujarat”Tag: Bargi
સરદાર સરોવરને કારણે ભરૂચ પૂરમાં સપડાયું: નિગમના દાવાની પાછળનું સત્ય
સપ્ટેમ્બર ૨, ૨૦૨૦[i]ના અમારા લેખમાં અમે સત્તાવાર માહિતીનો ઉપયોગ કરીને દેખાડ્યું હતું કે સરદાર સરોવર ડેમ (SSD)ને કારણે ભરૂચમાં જે પૂર આવ્યાં તેને ટાળવાનું શક્ય હતું. ડેમના હેઠવાસમાં ઑગસ્ટ ૨૯, ૨૦૨૦થી ઓચિંતા જ ૧૦.૭૨ લાખ ક્યુસેક પાણીનો જબ્બરદસ્ત જથ્થો છોડવામાં આવ્યો અને ભરૂચને પૂરની આફતે ઘેરી લીધું. સરદાર સરોવર ડૅમને લગતા બધા કાર્યકલાપ માટે જવાબદાર સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડે (SSNNL) હજી સુધી એનો સ્પષ્ટ, સુસંગત અને તથ્ય આધારિત જવાબ નથી આપ્યો. જો કે, નિગમ/ગુજરાત સરકાર (GoG)ના કેટલાક પ્રવક્તાઓએ દાવો કર્યો છે કે સરદાર સરોવર ડેમને કારણે ભરૂચ બહુ મોટી હોનારતમાંથી બચી ગયું છે. આ દાવો પાયા વિનાનો તો છેજ, એ તાજા જખમ પર મીઠું ભભરાવવા જેવો પણ છે.
SSDનું સંચાલન કેમ થયું, કેમ થવું જોઈતું હતું, ભરૂચે જે જબ્બર સંકટ ભોગવ્યું તેના માટે કોણ જવાબદાર હતા તેની તપાસ માત્ર કોઈ સ્વતંત્ર પેનલ (જેમાં સરકારના કાર્યરત કે નિવૃત્ત અધિકારીઓ ન હોય) દ્વારા થાય તો જ આ સત્યને બહાર લાવી શકાશે.
Continue reading “સરદાર સરોવરને કારણે ભરૂચ પૂરમાં સપડાયું: નિગમના દાવાની પાછળનું સત્ય”