Dam floods

Unaccountable Sardar Sarovar operators again bring avoidable floods in downstream Gujarat

Continue reading “Unaccountable Sardar Sarovar operators again bring avoidable floods in downstream Gujarat”
Dam Induced Flood Disaster · Gujarat · Gujarati blog · Narmada

સરદાર સરોવરને કારણે ભરૂચ પૂરમાં સપડાયું: નિગમના દાવાની પાછળનું સત્ય

સપ્ટેમ્બર ૨, ૨૦૨૦[i]ના અમારા લેખમાં અમે સત્તાવાર માહિતીનો ઉપયોગ કરીને દેખાડ્યું હતું કે સરદાર સરોવર ડેમ (SSD)ને કારણે ભરૂચમાં જે પૂર આવ્યાં તેને ટાળવાનું શક્ય હતું. ડેમના હેઠવાસમાં ઑગસ્ટ ૨૯, ૨૦૨૦થી ઓચિંતા જ ૧૦.૭૨ લાખ ક્યુસેક પાણીનો જબ્બરદસ્ત જથ્થો છોડવામાં આવ્યો અને ભરૂચને પૂરની આફતે ઘેરી લીધું. સરદાર સરોવર ડૅમને લગતા બધા કાર્યકલાપ માટે જવાબદાર સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડે (SSNNL) હજી સુધી એનો સ્પષ્ટ, સુસંગત અને તથ્ય આધારિત જવાબ નથી આપ્યો. જો કે, નિગમ/ગુજરાત સરકાર (GoG)ના કેટલાક પ્રવક્તાઓએ દાવો કર્યો છે કે  સરદાર સરોવર ડેમને કારણે ભરૂચ બહુ મોટી હોનારતમાંથી બચી ગયું છે.  આ દાવો પાયા વિનાનો તો છેજ, એ તાજા જખમ પર મીઠું ભભરાવવા જેવો પણ છે.

SSDનું સંચાલન કેમ થયું, કેમ થવું જોઈતું હતું,  ભરૂચે જે જબ્બર સંકટ ભોગવ્યું તેના માટે કોણ જવાબદાર હતા તેની તપાસ માત્ર કોઈ સ્વતંત્ર પેનલ (જેમાં સરકારના કાર્યરત કે નિવૃત્ત અધિકારીઓ ન હોય) દ્વારા થાય તો જ આ સત્યને બહાર લાવી શકાશે.

Continue reading “સરદાર સરોવરને કારણે ભરૂચ પૂરમાં સપડાયું: નિગમના દાવાની પાછળનું સત્ય”